T20 વર્લ્ડ કપ 2022ની તૈયારીઓ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમને પ્રથમ મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચમાં 6 વિકેટથી જીત મેળવી હતી, પરંતુ આ બંને મેચમાં ટીમ ઈન્ડિયાના એક અનુભવી ખેલાડીને રમવાની તક મળી નથી. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ હજુ સુધી આ ખેલાડીને પ્લેઈંગ 11માં જગ્યા નથી આપી.
ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 3 મેચની T20 શ્રેણીમાં અત્યાર સુધી કેપ્ટન રોહિતે સ્પિનરો અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલને ટીમના પ્લેઈંગ 11માં સામેલ કર્યા છે. બીજી તરફ અનુભવી સ્પિનર આર અશ્વિનને તક મળી રહી નથી. આર અશ્વિન દરેક કન્ડિશનમાં બોલિંગ કરવામાં એક્સપર્ટ છે અને તે ભારતની કન્ડિશનમાં સૌથી વધુ સફળ રહ્યો છે, તેમ છતાં તે આ સિરીઝમાં પોતાની પહેલી તકની રાહ જોઈ રહ્યો છે.
રવિચંદ્રન અશ્વિન T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. તેણે હાલમાં જ ટીમ 20 ટીમમાં પુનરાગમન કર્યું છે અને હવે તે આ ટૂર્નામેન્ટનો પણ ભાગ બની ગયો છે. આર અશ્વિન એશિયા કપ 2022માં પણ રમ્યો હતો. ટીમ ઈન્ડિયાએ જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં આર અશ્વિને ટી20 ટીમમાં પુનરાગમન કર્યું હતું.
અશ્વિને ટીમ ઈન્ડિયા માટે 56 T20 મેચમાં 66 વિકેટ લીધી છે. આ સાથે જ તે ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બીજા નંબરનો બોલર છે. આવી સ્થિતિમાં, જો આગામી મેચોમાં સુકાની આર અશ્વિનને ટીમમાં તક આપે છે, તો તે ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. રવિચંદ્રન અશ્વિન કેરમ બોલને ખૂબ સારી રીતે ફેંકે છે, જેને બેટ્સમેન સમજી શકતો નથી અને વહેલો આઉટ થઈ જાય છે.