કર્મનિષ્ઠ ઑફિસર્સ તો તમે બહુ જોયા હશે પણ દીકરીના મોતના સમાચાર સાંભળ્યા પછી પણ ડ્યૂટી પર અડગ રહે તેવા અધિકારી તમે કદાચ ક્યારેય નહીં જોયા હોય. ઉત્તર પ્રદેશના એક પોલીસ કોન્સ્ટેબલે ડ્યુટી પ્રત્યે પોતાની સમર્પિતતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. કોઇપણ પિતા માટે દીકરીના મોતના સમાચાર આઘાતજનક હોય છે. પણ આ પોલીસ અધિકારીએ તેની દીકરીના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ ઘરે જવાના બદલે ડ્યૂટી પ્રત્યે કર્મનિષ્ઠ રહેવું જરૂરી સમજ્યું.
આ મામલો સહારનપુરનો છે, જ્યાં 23મી ફેબ્રુઆરીએ 57 વર્ષીય ભૂપેન્દ્ર તોમર દરરોજની જેમ સવારે 9 વાગ્યે પોતાના સાથીઓ જોડે પેટ્રોલિંગ માટે નિકળ્યા હતા. બડગાંવ વિસ્તારમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારેજ તેમને ફોન આવ્યો કે એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યો છે. કોઇએ ધારદાર હથિયાર વડે આ વ્યક્તિ પર હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતાં ટીમ ઘટના સ્થળે જવા માટે નીકળી જ હતી કે ભૂપેન્દ્રને એક કોલ આવ્યો, ફોનમાં તેમની 27 વર્ષીય દીકરી જ્યોતિનું નિધન થયું હોવાના દુખદ સમાચાર મળ્યા હતા. એક વર્ષ પહેલાં જ લગ્ન કરીને સસુરાલ ગયેલી દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને ભૂપેન્દ્ર દુઃખી થઇ ગયા હતા.
દીકરીના મોતના સમાચાર સાંભળીને ભૂપેન્દ્ર બહુ દુઃખી થયા હતા પણ તેઓ ઘરે ના ગયા. ભૂપેન્દ્ર તોમના સાથીઓએ તેમને ઘરે જવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘પહેલાં હું લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા યુવકને બચાવીશ.’ દીકરીના મૃત્યુના દુઃખને છૂપાવી ભૂપેન્દ્ર તોમર અને તેના સાથીકર્મીઓ ઘાયલ હાલતમાં પડેલા યુવક પાસે પહોંચ્યા, યુવકને હોસ્પિટલે દાખલ કરાવ્યા બાદ ભૂપેન્દ્ર તોમર ઘરે પહોંચ્યા. ભૂપેન્દ્ર તોમરના આ સાહસ માટે સહારનપુરના ડીઆઇજી અને એસએસપીએ તેમને સન્માનિત કર્યા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.