ગુજરાત અને મહારાષ્ટ્રને અડીને આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન ખાતે સોમવારે સવારે કાળજું કપાવાની ઘટના બની હતી..જેમાં એક યુવકે ગુડ્સ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો..ટ્રેન નીચે કપાઇ ગયા બાદ તેના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. આ દરમિયાન ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે તેના હાથ પકડી પીઠનો ભાગ ઉઠાવતા આપઘાત કરનાર યુવકે પોતાનું નામ અને સરનામું આપ્યું હતું જોકે ત્યારબાદ તેણે દમ તોડી દીધો હતો આ દ્રશ્ય જોનારા લોકો પણ ભારે અચંબામાં મુકાઈ ગયા હતા. મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પર સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે શહેરના સંજય નામદેવ મરાઠે ગુડ્સ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.આખી ટ્રેન સંજયના શરીર પરથી ફરી વળતાં સંજયના શરીરના બે ટુકડા થઇ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે ત્યાર બાદ પોલીસે સંજયના શરીરને ઉઠાવતા સંજયે પોતાનું નામ અને સરનામું બતાવ્યું હતું આ સમગ્ર ઘટના જોઈને પોલીસ તેમજ આસપાસના લોકોમાં ભારે કુતુહલતા ફેલાઈ ગઈ હતી. મેડિકલ સાયન્સના જણાવ્યા મુજબ જો કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામી ગયું હોય પરંતુ જો તેના શરીરમાંથી લોહી ન નીકળ્યું હોય તો તેનું મગજ સક્રિય હોય છે અને જેના કારણે જ તે જવાબ આપી શકે છે..સંજયના આપઘાતમાં પણ ક્યાંકને ક્યાંક આવી ઘટના સર્જાઇ જશે જેને પગલે સંજયે તેના શરીરના બે ભાગ થઈ ગયા હોવા છતાં પણ પોતાનું નામ અને સરનામું જણાવ્યું હતું


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.