2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણ પણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. પાર્ટીઓ પણ પોતાની સ્ટ્રેટેજી તૈયાર કરવામાં લાગી ગઈ છે અને નેતાઓના નિવેદનો પણ હવે ચૂંટણીલક્ષી થવા લાગ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે ચૂંટણી પરિણામો પર એક મોટું નિવેદન આપ્યું છે. ચૌહાણે કહ્યું છે કે 2019માં જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે દેશની અંતિમ લોકસભાની ચૂંટણી હશે. આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, જે તાનાશાહ વલણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ ચલાવી રહ્યા છે, તે પરથી આમ જ લાગી રહ્યું છે. આ સિવાય પૃથ્વીરાજે શંકા વ્યક્ત કરી કે, જો સંસદના બન્ને સભ્યોમાં ભાજપને બહુમત મળશે તો તે સંવિધાન બદલી કાઢશે. આ સરકાર ન્યાય વ્યવસ્થાની પણ પરવા નથી કરતી. દિલ્હીમાં સામાજિક કાર્યકર્તા અન્ના હજારેના આંદોલનમાં ભાગ લેવા આવી રહેલા લોકોને રોકવાનો આરોપ મુકીને તેમણે ટીકા કરી. તેમણે કહ્યું કે આ પ્રકારની તાનાશાહી આખા દેશમાં જોવા મળી શકે છે. આ પહેલા પૃથ્વીરાજ ચૌહાણે વર્તમાન ભારતીય રાજનીતિમાં ત્રીજા મોરચાની સંભાવનાઓ પર કહ્યુ હતું કે, કોંગ્રેસ વિના વિપક્ષ શક્ય જ નથી. કોંગ્રેસ એક આધાર છે અને બીજો આધાર ભાજપ છે. હવે કોંગ્રેસને હટાવીને વિપક્ષ બનાવવો શક્ય નથી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.