યોગ ગુરૂ બાબા રામદેવે અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે નિવેદન અાપ્યુ છે.બાબા રામદેવે કહ્યુ કે, અયોધ્યામાં વિવાદિત ભૂમિનો ઉકેલ કોર્ટ બહાર લાવવો સંભવ નથી. જોકે બાબા રામદેવે શ્રી શ્રી રવિશંકરના પ્રયાસોના વખાણ પણ કર્યા. શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદને કોર્ટની બહાર ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.શ્રી શ્રી રવિશંકર માને છે કે અા વિવાદનો કોર્ટની બહાર જ ઉકેલ અાવશે.
યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં અા મામલાને કોર્ટની બહાર ઉકેલવો અશક્ય છે.