ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે કે 14મી માર્ચના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં થયેલી 20 કરોડના હીરાની ચોરીનો કેસ સોલ્વ કરવા બદલ સુરત પોલીસને 10 લાખ રુપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે.
પ્રદિપસિંહ જાડેજાએ ગ્લો સ્ટાર ડાયમંડના કર્મચારી વિનોદ મોરાડિયા સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, કેસને સોલ્વ કરવા માટે અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આી હતી અને રેડ એલર્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. CCTV ફૂટેજને સ્કોન કરવામાં આવી હતી જેમાં પોલીસની શંકા બે વ્યક્તિઓ પર પડી હતી.
આ બે શંકાસ્પદ શખ્સો કારમાં બેસતા જણાયા હતા. કારના માલિકને પકડવામાં આવતા પોલીસને કહેવામાં આવ્યું કે કાર કોઈ પાંડે નામની વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. પોલીસે કારના નવા માલિકની શોધ કરી હતી અને પૂછપરછની મદદથી ઉત્તરપ્રદેશના બે યુવકોની ધરપકડ કરવામાં આવી. આ લોકો પાસેથી 13 લાખની કિંમતના હીરા રિકવર કરવામાં આવ્યા છે.
ગૃહરાજ્ય મંત્રીએ આગળ જણાવ્યું કે, સરકારે કતારગામ વિસ્તારમાં CCTVની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. 20 કરોડની ચોરીના આરોપીઓની ધરપકડને કારણે સુરતની અન્ય એક લૂંટનો પણ ભેદ ખુલ્યો છે. ભવિષ્યમાં CCTV સર્વિલન્સ એક મહત્વનો ભાગ ભજવશે. આ સિવાય તેમણે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં થયેલી આંગડીયા પેઢીના કર્મચારીની હત્યા અને લૂંટના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.