કેશલેસ અર્થતંત્ર બનાવવાની દિશામાં ઝડપથી સરકાર આગળ વધી રહી છે ત્યારે હવે આધાર સંલગ્ન લેવડ દેવડને વધુ મજબૂત કરવામાં આવનાર છે. આનાે મતલબ એ થયો કે 12 ડિઝીટમાં રહેલા આધાર નંબર ટૂંક સમયમાં જ તમામ કાર્ડ લેવડ દેવડની જગ્યા લઈ શકે છે. આ હિલચાલને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા નવી હિલચાલ હાથ ધરવામાં આવી ચુકી છે. ડિઝીટલ પેમેન્ટની દિશામાં તમામ અભિગમ અપનાવવામાં આવી રહ્યાા છે. આધાર સંલગ્ન લેવડ દેવડ કાર્ડલેસ અને પીનલેસ રહેશે. મોબાઈલ એન્ડ્રાેઈડ ફોન ધારકો તેમના આધાર નંબરનાે ઉપયોગ કરીને ડિજીટલી રીતે લેવડ દેવડ કરી શકશે. ફિંગરપ્રિન્ટ અને અન્ય પ્રમાણપત્રોનાે ઉલ્લેખ આમાં સીધી રીતે થઈ જશે. યુઆઈડીએઆઈના ડિરેકટર જનરલ અજય પાંડેનું કહેવું છે કે બહુપાંખીય વ્યૂહરચનાની જરૂર રહેશે. જેમાં મોબાઈલ મેન્યુફેકચસૅ, કારોબારીઆે અને બેન્કોની ભૂમિકા વધતી રહેશે. સરકાર દ્વારા પહેલાથી જ આ દિશામાં પહેલ કરવામાં આવી ચુકી છે. જુદી જુદી દિશાઆેમાં સંબંધિતાે સાથે વાતચીત શરૂ થઈ ચુકી છે. નીતિ આયોગના સીઈઆે અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારતમાં બની રહેલા તમામ મોબાઈલ આધાર નંબર સાથે મળીને કામ કરી શકે છે કેમ તે દિશામાં ધ્યાન આપવા મોબાઈલ મેન્યુફેકચરને કહેવામાં આવી ચુક્યું છે. અમિતાભ કાંત મુખ્યમંત્રીઆેની કમિટીના ભાગરૂપે છે જે આગામી એક વર્ષની અંદર ડિજીટલ પેમેન્ટના અમલીકરણ માટે રૂપરેખા તૈયાર કરનાર છે. આ કમિટીની પ્રથમ બેઠક આજે યોજવામાં આવી હતી. કાંતના કહેવા મુજબ સરકાર કેશ ટ્રાન્ઝીકશનની બાબત વધારે માેંઘી બને તે દિશામાં પણ પહેલ કરી રહી છે. જેથી કેશલેસ અર્થતંત્રને પ્રાેત્સાહન મળશે. લોકોને ડિજીટલી ચૂકવણી કરવા માટે જાગૃત કરવામાં આવશે. નવી પહેલ કઈ રહેશે તે અંગે અમિતાભ કાંતે વિગત આપી નથી.
8મી નવેમ્બરના દિવસે સરકારે રૂપિયા 500 અને 1000ની નાેટ ઉપર પ્રતિબંધ મુકી દીધા બાદ સરકારનું કહેવું છે કે ડિસેમ્બર 30મી સુધી ડિજીટલ ટ્રાન્જેકશન ઉપર કોઈ ટેક્સ લાગું થશે નહીં. જ્યારે કારોબારીઆેને પણ રાહત આપવામાં આવી છે. બીજી બાજુ આઈટી સેક્રેટરી અરૂણા સુંદરરાજનનું કહેવું છે કે મંત્રાલય દ્વારા ડિજીટલ પ્લાટફોર્મને પ્રાેત્સાહન આપવા માટે તથા કારોબારીઆેની નાેંધણી આગળ વધારવા 100 કરોડ રૂપિયા તૈયાર રાખ્યા છે.