ACC ચીફ મોહસિન નકવીનો નવો ડ્રામા: ટ્રોફી આપવા માટે મૂકી દીધી વિચિત્ર શરત

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

એશિયા કપ 2025 ફાઇનલ: ACC ચીફ મોહસિન નકવીનો નવો ડ્રામા, એશિયા કપની ટ્રોફી આપવા માટે મૂકી શરત

મોહસિન નકવીએ પાકિસ્તાનની હાર પછી ભારતને એશિયા કપની ટ્રોફી આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે નકવીની નવી નાટકબાજી શરૂ થઈ ગઈ છે.

એશિયા કપ 2025 ફાઇનલમાં ભારતની જીત પછી પણ ટીમને હજી સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પોતાની હરકતોથી બાજ આવી રહ્યા નથી. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી, પરંતુ ત્યાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો. હવે નકવીએ ટ્રોફી આપવા માટે નવી માંગણી મૂકી છે.

- Advertisement -

રિપોર્ટ મુજબ BCCI સચિવ દેવજીત સૈકિયા પહેલા જ ACCને પત્ર લખી ચૂક્યા છે, પરંતુ તેમની તરફથી ટ્રોફી અંગે કોઈ જવાબ આવ્યો નથી. BCCI ઈચ્છે છે કે ટ્રોફી અને મેડલ્સ દુબઈ સ્થિત ACCની ઓફિસમાં મોકલવામાં આવે, જ્યાંથી તે તેને લઈ લેશે. નકવી તરફથી આના પર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

park

- Advertisement -

નાટકબાજ નકવીની નવી માંગણી

પાકિસ્તાની મીડિયા અનુસાર, નકવીએ BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાની ટ્રોફી અંગે કરેલી અપીલને માનવાનો ઇનકાર કરી દીધો છે. નકવીનું કહેવું છે કે ટ્રોફી માટે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતે ACC ઓફિસ આવવું પડશે.

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ હાથ પણ ન મિલાવ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025માં ત્રણ મેચ રમાઈ, પરંતુ પાક ટીમ એક પણ મેચ જીતી શકી નહીં. મહત્વની વાત એ પણ છે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પાક ખેલાડીઓ સાથે હાથ સુદ્ધા ન મિલાવ્યો. પાકિસ્તાનની દુનિયા સામે ભારે બેઇજ્જતી થઈ ગઈ. ત્યાર બાદ બાકીની કસર ફાઇનલ પછી પૂરી થઈ ગઈ. કેપ્ટન સૂર્યાએ નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો.

hand

- Advertisement -

તો શું વાત ICC સુધી પહોંચશે?

મોહસિન નકવી ફાઇનલ પછી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના મેડલ અને ટ્રોફી પોતાની સાથે લઈને જતા રહ્યા. ભારતીય ખેલાડીઓને ટ્રોફી કેવી રીતે મળશે, તેનો હજી સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી. જો સરળતાથી વાત નહીં બને તો BCCI આ મામલાને ICC સુધી પહોંચાડી શકે છે.

 

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.