અમદાવાદ. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ક્રિકેટ મેચોને કારણે અમદાવાદ મેટ્રો ટ્રેનની કમાણી વધી છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે મે મહિનામાં શહેરમાં મેટ્રો ટ્રેનમાં 2005374 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના કારણે રૂ.31600215ની આવક થઇ હતી. એપ્રિલમાં કુલ 1566568 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના કારણે રૂ.24045916ની આવક થઇ હતી. એપ્રિલ મહિનાની સરખામણીમાં મે મહિનામાં લગભગ 5 લાખ વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ કારણે મેટ્રોએ એપ્રિલ મહિનાની સરખામણીમાં મે મહિનામાં 75 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
IPL ફાઇનલ મેચના દિવસે 1 લાખથી વધુ મુસાફરો મેટ્રો ટ્રેન મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આખા મહિનામાં 28 મેના રોજ સૌથી વધુ 107552 મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તે દિવસે કુલ આવક 18 લાખ 73 હજારથી વધુ હતી. અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે પણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તે દિવસે મેટ્રો મુસાફરોની સંખ્યામાં વધારો થયો, વધુ આવક થઈ. 29 મેના રોજ પણ 104816 મુસાફરોએ મુસાફરી કરી હતી, તે દિવસે 1779343 રૂપિયાની કમાણી થઈ હતી. આ સિવાય 7 મેના રોજ 99643 મુસાફરોએ મુસાફરી કરી હતી જેના કારણે 16.55 લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 26 મેના રોજ 84090 મુસાફરોની મુસાફરીમાંથી 13.78 લાખની આવક થઈ હતી.
સામાન્ય દિવસોમાં 50 હજારથી વધુ મુસાફરો
અમદાવાદ શહેરમાં સમગ્ર મે મહિનામાં સામાન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા 50 હજારની નજીક છે. મેચ દરમિયાન આ સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ હતી.
બુધવાર, મે 7
Breaking
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…
- Breaking: ભારતીય સેનાએ પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યું, પાઈલટની શોધ ચાલી રહી છે
- Breaking: ઓપરેશન સિંદૂરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પર બોમ્બ ધમકીથી હડકંપ
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’