ભારતમાં શ્રી હનુમાનજી દાદાનું ખુબજ મહત્વ છે. અને શ્રી હનુમાનજી કળીયુગમાં પણ તરતજ ફળ આપનારા દેવ છે. તેઓને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો તરતજ કઠીનમાં કઠીન અને અશક્ય લગતા કામો તરતજ થઇ જાય છે. એટલેજ ભારતભરમાં શહેરો અને ગામડાઓમાં ઠેર ઠેર શ્રી હનુમાનજીના મંદિરો આસ્થાના કેન્દ્રો બન્યા છે.
હવે વાત કરવી છે અમેરિકાની કે જ્યાં જ્યોર્જીયાના આલ્ફારેત્તામાં આવેલું છે શ્રી હનુમાનજીનું મંદિર, આ મંદિર માર્ચ ૨૦૧૦માં શ્રી સત્યનારાયણ આચાર્યનું દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરના નિર્માણ દરમ્યાન જ ચમત્કારો થયા હતા. જે જોઇને વિદેશમાં પણ શ્રી હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં શ્રદ્ધા વધુ દ્રઢ બની હતી. જેમાં મંદિર પાસેની જગ્યાના માલિકએ આ જગ્યા અડધી કિંમતે જ આપવા રાજી થઇ ગયા હતા. જે શક્ય ન હતું. બીજું કે આ જગ્યાની ખરીદી બાદ અહી કરવામાં આવેલા હવનમાં સાત ફૂટ લાંબો સાપ ઓચિંતો આવી ચડ્યો હતો. અને મંદિર ફરતે ભક્તોની હાજરીમાં ચક્કર માર્યા હતા. અને દાદાના ચરણ સ્પર્શ કરી સાપ ક્યાં ચાલ્યો ગયો.તે કોઈને ખબર પડી ન હતી. આ દ્રશ્યનો વિડીયો પણ ભક્તોએ ઉતાર્યો હતો. એટલુજ નહિ પરંતુ જર્મની બાજુથી આવેલા અજાણ્યા સાધુ મહારાજે એક હજાર ડોલર મંદિરને અર્પણ કર્યા હતા. અને મંદિરની જગ્યા માટે લીધેલી તમામ લોનની ચુકવણી કરી હતી.
આ મંદિરમાં સ્થાનિક ભારતીયો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન રામનવમી શ્રી હનુમાન જયંતી તેમજ શ્રી જગન્નાથજી મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.