ફેસબુકના વપરાશકર્તાઓનો ભરોસો તુટવાના અારે છે. સોશિયલ મીડિયામાં સૌથી વધુ વપરાતું ફેસબુક સવાલોના ઘેરામાં છે. આ વચ્ચે કેટલાક વપરાશકર્તાઓના ફેસબુક પરથી સ્થાપક માર્ક ઝુકરબર્ગના તેમના તરફથી મળેલા સંદેશા અચાનક ગાયબ થઈ ગયા છે. ટેક્નિકલ ટીમ સાથે જોડાયેલ સમાચારોની વેબસાઇટ ટેકક્રન્ચે જણાવ્યું હતું કે લોકોના ઇનબૉક્સમાંથી ફેસબુકના સંદેશાઓ કાઢવામાં આવ્યા છે,ફેસબુકે અાવુ ઝુકરબર્ગ અને અન્ય અધિકારીઓ માટે કર્યુ છે.
વેબસાઈટે જણાવ્યું હતું કે, ત્રણ સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે ઝુકરબર્ગથી પ્રાપ્ત જૂના સંદેશા તેમના ઇનબૉક્સથી ગુમ થઈ ગયા છે.જ્યારે તે મેસેજ પર તેમના (વપરાશકર્તા) તરફની પ્રતિક્રિયા હતી. વપરાશકર્તાઓ ફેસબુકના ડેટા ચોરાયા બાદ કેટલો વિશ્વાસ મુકે છે તે તો અાવનારો સમય બતાવશે.