યુપીના મુરાદાબાદમાં યોજાયેલી પરિવર્તન રેલીને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સંબોધી હતી. જેમાં તેઓએ કાળાધનના સંગ્રહખોરો અને તેમના મલ્તીયારો ઉપર બોલતા જણાયું હતું કે પોતે માત્રને માત્ર ગરીબો માટેની લડાઈ લડી રહ્યા છે. તેઓએ આડકતરી રીતે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉપર નિશાન તાકી અત્યાર સુધીના ઇતિહાસમાં ગરીબો અને મધ્યમ વર્ગને અન્યાય થયો હોવાનું જણાવી પોતાને સત્તાની કોઈજ લાલચ નહિ હોવાનું જણાવી. હું તો ફકીર છું…..ઝોલા લેકે ચલા જાઉંગા કહી દેશને એક નવા મોડ ઉપર લઇ જવા અને સમાન તકો પૂરી પાડવા કટીબંધ હોવાનું ઉમેર્યું હતું. રેલી બાદની સભામાં અંદાજે લાખોની મેદની ઉમટી હતી. જેઓને વડાપ્રધાન મોદીએ સંબોધન કરી જનતા જ મારું હાઈકમાન્ડ હોવાની વાત કરી ગામડાના લોકોને વીજળી સહિતના પાયાના પ્રશ્નોને ભાજપે પ્રાધાન્ય આપી તે દિશામાં કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. મોદીજીએ જણાવ્યું કે કાળુંધન જમા કરી એશ કરતા અમીર લોકો પાસેથી પૈસા પાછા લઇ ગરીબોના હક્ક માટે વાપરવામાં આવશે. અને જનતાના પૈસા જનતાને મળશે. તેઓએ જણાવ્યું કે ૭૦ વર્ષથી જે લાઈનો લાગી હતી. તે લાઈનો ને તોડી મેં છેલ્લી લાઈન લગાવી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.