જો કોઈ ટિપિકલ સુહાગરાતની વાત કરે એટલે તમને તરત જ કલ્પના આવે કે ડિમ લાઇટનો આછો પ્રકાશ અને વાઇટ કલરની બેડશીટ અને બેડ પર લાલા કલરના ગુલાબનું સુશોભન આ સાથે જ હાથમાં દૂધનો ગ્લાસ લઈને ધીમા પગલે બેડરુમમાં અંદર આવતી નવવધુ બોલિવુડની સેંકડો મૂવી જોયા પછી આપણા બધાના મગજમાં સુહાગરાતનો આ સીન એક પરમેનન્ટ સીલ માર્ક બની ગયો છે. જોકે બોલિવુડે પણ આ આઇડિયા પરંપરામાંથી લીધો છે ત્યારે તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે શા માટે ફક્ત લાલ ગુલાબનો જ સુહાગરાતના રુમમાં ઉપયોગ થાય છે? એક પરંપરાથી વિશેષ આવું કરવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. જો હવે તમને પણ આ કારણ જાણવાની ઉત્સુક્તા થઈ હોય તો ચાલો અમે જણાવીએ છીએ.
આખા દિવસ દરમિયાન તમે અનેક જાતની વિધિઓમાં અને કામમાં બીઝી હતા અને હવે ઉપરથી લગ્નની પહેલી રાતનું ટેન્શન. ત્યારે લાલ ગુલાબની આ સુગંધ તમારી નર્વને રીલેક્સ કરીને તમારા તણાવને ઓછો કરે છે. ભલે તમે 3-4 દિવસના લગ્ન સમારંભને લઈને ગમે તેટલા થાકી ગયા હોવ આ નેચરલ સુંગંધ તમારો બધો જ થાક દૂર કરી દેશે. આ રાત તમારી લાઇફમાં ખૂબ જ ખાસ રાત છે ત્યારે જો તમે પહેલીવાર જ સેક્સ માણવા જઈ રહ્યા હોવ તો આ ગુલાબ તમને મૂડમાં લાવવા માટે મદદગાર સાબિત થશે. ગુલાબ તેના નેચરલી જ ઉત્તેજીત કરી શકવાના ગુણ માટે જાણીતા હોય છે. અને એરોમાથેરાપીના એક્સપર્ટનું માનીએ તો ગુલાબ તમારા મૂડને રંગીન બનાવી દે છે. ગુલાબ નેચરલી જ એફ્રોડિસિઆક હોય છે એટલે કે તમને જો પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધ અને ઇન્ટિમસી બનાવવ માગતા હોવ તો બીજારુપે પણ મદદ કરે છે. આ ગુલાબનું સુશોભન થાય તેટલું જ નહીં સુહાગરાતના દૂધ અથવા ખીરમાં પણ તેને નાખીને ખાવાથી તમને સંભોગ માટે પ્રેરીત કરી નેચરલ વિયાગ્રા જેવું કામ આપે છે. ગુલાબનો લાલ કલર પ્રેમ, હેપ્પિનેસ અને ઉત્કટતાને દર્શાવે છે. આ કારણે જ લગ્નની એ સ્પેશિયલ રાતને વધુ રોમેન્ટિક અને યાદગાર બનાવવા માટે ભારતીય લગ્નોમાં સદીઓથી લાલ કલરના ગુલાબનો ઉપયોગ થતો આવ્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.