કઢી પત્તા: ખાલી પેટે માત્ર ૩ પાંદડા ખાવાથી શરીરને મળે છે આ 7 જબરદસ્ત ફાયદા!

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ખાલી પેટે કઢી પત્તા ખાવાથી શું થાય છે? ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યું, માત્ર ૩ પાનથી મળશે આ જબરદસ્ત ફાયદાઓ

ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યું છે કે જો તમે દરરોજ સવારે ખાલી પેટે માત્ર ૩ કઢી પત્તા ખાઓ, તો તેનાથી શરીરને ઘણા અદ્ભુત ફાયદાઓ મળી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.

કઢી પત્તાનું વૃક્ષ લગભગ દરેક ભારતીય ઘરમાં હોય છે. આ પાંદડા ખાવાનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાના-નાના લીલા પાંદડા આપણા શરીર માટે પણ કોઈ ‘નેચરલ મલ્ટીવિટામિન’ થી ઓછા નથી? પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે દરરોજ સવારે ખાલી પેટે માત્ર 3 કઢી પત્તા ખાવાથી શરીરને ઘણા અદ્ભુત ફાયદાઓ મળી શકે છે.

- Advertisement -

ખાલી પેટે કઢી પત્તા ખાવાના 5 મોટા ફાયદા

૧. ત્વચાને બનાવે છે ગ્લોઇંગ (ચમકદાર)
ન્યુટ્રિશનિસ્ટ મુજબ, કઢી પત્તામાં વિટામિન A અને બીટા-કેરોટીન હોય છે, જે ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. તે ત્વચાની નિસ્તેજતા (Dullness) અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સાથે તે આંખો માટે પણ ખૂબ સારું છે.

curry leaves1

- Advertisement -

૨. ઇમ્યુનિટી અને ગ્લો માટે બેસ્ટ
કઢી પત્તામાં વિટામિન C, E અને એન્ટીઑકિસડન્ટ્સ હોય છે, જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને યુવાન દેખાય છે અને રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) પણ મજબૂત બને છે.

૩. એનર્જી અને મગજ માટે ફાયદાકારક
કઢી પત્તામાં જોવા મળતા B-કોમ્પ્લેક્સ વિટામિન્સ મેટાબોલિઝમ વધારે છે, થાક ઓછો કરે છે અને મગજને સક્રિય રાખે છે. આનાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મૂડ સુધારવામાં મદદ મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Lovneet Batra (@lovneetb)

- Advertisement -

૪. લોહીની ઉણપ (એનિમિયા) દૂર કરે
કઢી પત્તામાં આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ બંને મળીને શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે અને એનિમિયા (લોહીની ઉણપ) ને અટકાવે છે.

૫. હાડકાંને બનાવે છે મજબૂત
કઢી પત્તા કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. ૧૦૦ ગ્રામ કઢી પત્તામાં લગભગ 659 mg કેલ્શિયમ હોય છે. તે હાડકાંની મજબૂતી અને બોન ડેન્સિટી વધારવામાં મદદ કરે છે.

curry leavs

આ રીતે કઢી પત્તા શરીરને અંદરથી સ્વસ્થ બનાવનાર સુપરફૂડ સાબિત થઈ શકે છે.

કઢી પત્તાનું સેવન કેવી રીતે કરવું?

સવારે ખાલી પેટે ૩-૪ તાજા કઢી પત્તા સારી રીતે ચાવીને ખાઓ અથવા થોડું પાણી પીને ગળી લો. તમે તેને સ્મૂધી કે લીંબુ પાણીમાં પણ ભેળવી શકો છો. તેનાથી તમને એકસાથે ઘણા ફાયદાઓ મળી શકે છે.

 

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.