માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની હવે માત્ર કાપડ મંત્રાલય સંભાળશે. રાજ્યવર્ધન રાઠોરને માહિતી પ્રસારણનો સ્વતંત્ર ચાર્જ અપાયો છે. નાણાપ્રધાન અરુણ જેટલી સંપૂર્ણ સ્વસ્થ્ય થાય ત્યાં સુધી રેલવે પ્રધાન પિયુષ ગોયલ નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે. જ્યારે એસ.એસ. આહલુવાલિયા ઇલેક્ટ્રોનિક વિભાગ સંભાળશે. સ્મૃતિ ઇરાની સાથે 3 મુખ્ય વિવાદ સંકળાયેલા છે. નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનો 70થી વધુ વિજેતાઓએ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિના હાથે માત્ર 11ને એવોર્ડ અપાવાયા તેની સામે નારાજગી હતી. જો કે રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટ કર્યું હતું કે ઘણા સમય પહેલાં મંત્રાલયને આ અંગે જાણ કરાઈ હતી કે રાષ્ટ્રપતિ માત્ર 1 કલાક રોકાશે. વિજેતાઓને છેલ્લી ઘડીએ આ જાણ કરાય આથી તેમને એવું લાગ્યું કે તેમને અંધારામાં રખાયા છે. રાષ્ટ્રપતિએ આ નારાજગી પીએમઓ સમક્ષ રજૂ કરી હતી. બીજો વિવાદ મીડિયા કંટ્રોલને લગતો છે. ફેક ન્યૂઝ અંગે પીઆઈબીની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કરાઈ હતી. પીએમઓએ 24 કલાકમાં જ આ નિર્ણય બદલી કાઢ્યો હતો. ત્રીજો વિવાદ ચૂંટણી અગાઉ મોટી સંખ્યામાં ભારતીય માહિતી સેવાના અધિકારીઓની મોટાપાયે બદલીને લગતો છે. આથી અધિકારીઓમાં ઘણી નારાજગી હતી. આ અગાઉ જુલાઈ 2016માં યુનિવર્સિટીમાં તંગદિલીના વિવાદને કારણે સ્મૃતિ પાસેથી માનવ સંશાધન વિકાસ મંત્રાલય લઈ લેવાયું હતું. વેંકયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બનતા આ મંત્રાલય જુલાઈ 2017માં સ્મૃતિને અપાયું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.