ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું કાઉન્ટડાઉન્ટ શરૂ થઈ ચૂક્યું છે. આગામી ૨૩ મેથી ૨૮ મે સુધીમાં બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરી દેવાશે, જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૦ મે સુધીમાં જાહેર કરાશે. ગત વર્ષે અમદાવાદ શહેરનું ૭૧.૫૨ ટકા અને અમદાવાદ ગ્રામ્યનું ૭૦.૧૩ ટકા પરિણામ આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાઈ છે. ગત વર્ષે પરિણામમાં ૭૯.૨૭ ટકા સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો હતો. ૨૯ મે-સોમવારે વર્ષ ૨૦૧૭નું પરિણામ જાહેર કરાયું હતું. આ વર્ષે તેનાથી ત્રણેક દિવસ વહેલું પરિણામ જાહેર થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલે પ્રિન્ટિંગ અને કમ્પ્યૂટર વિભાગ સાથે પરીક્ષા સચિવ અને બોર્ડના અધિકારીઓની એક મિટિંગ ગાંધીનગર ખાતે મળશે. આ મિટિંગમાં પ્રિન્ટિંગ-માર્કશીટ અંગેનું કેટલું કામ બાકી છે, ક્યારે માર્કશીટ જે તે જિલ્લા કેન્દ્રમાં ડિસ્પેચ થઈને પહોંચી જશે વગેરે બાબતોની ચર્ચા કરાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.