કેરળના કોઝિકોડ જિલ્લામાં અત્યંત ઘાતક એવા નિપાહ વાયરસે દેખા દીધી છે. આ વાયરસ અત્યાર સુધી 10 લોકોના ભોગ લઈ ચૂક્યો છે. આ ભેદી વાયરસનો ભોગ બનેલા 25 દર્દીઓને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, જેમાંથી છ લોકોની હાલત ખૂબ ગંભીર ગણાવાઈ રહી છે. આ વાયરસનો જેને પણ ચેપ લાગી જાય તેને શ્વાસ લેવામાં તકલીફ, ખૂબ જ તાવ, માથામાં દુ:ખાવો, બળતરા, ચક્કર આવવા તેમજ બેભાન થઈ જવા જેવી તકલીફ થાય છે. નિપાહ વાયરસને NiV વાયરસ પણ કહેવામાં આવે છે. આ વાયરસ ચામાચિડિયા તેમજ સૂવરથી ફેલાય છે. તે સૌ પહેલા સિંગાપોર તેમજ મલેશિયામાં જોવા મળ્યો હતો. આ વાયરસ એટલો ખતરનાક છે કે, તેનો ભોગ બનનારાને જો તરત જ ટ્રિટમેન્ટ ન મળે તો તે 48 કલાકની અંદર જ કોમામાં જઈ શકે છે. હાલ આ વાયરસની કોઈ રસી ઉપલબ્ધ નથી, અને તેના પેશન્ટને માત્ર ઈંટેસિવ સપોર્ટિવ કેર આપીને જ ટ્રિટમેન્ટ કરી શકાય છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ વાયરસ ઝડપથી ફેલાય છે, અને મોટાભાગના કેસમાં જીવલેણ સાબિત થાય છે. આ વાયરસનો દર્દી પણ તેનો વાહક બને છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.