આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા સુચેતગઢના નાગરિકોનું કહેવું છે કે ગોળીબાર સતત ચાલુ છે. અમે લોકો ખૂબ ડરેલાં છીએ અને રાતે સૂઈ નથી શકતાં. અમે અમારાં ઢોર-ઢાંખરને ચરાવવા માટે નથી લઇ જઇ શક્યાં. અમે સરકારને આ સંકટનો ઉકેલ લાવવાની અથવા તો બીજી કોઇ વ્યવસ્થા કરવાની અપીલ કરીએ છીએ.પાકિસ્તાન તરફથી સતત સાચ દિવસોથી સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. પાકિસ્તાની સેના અરનિયા અને અરએસપુરા સેક્ટરમાં સોમવારની રાતથી ગોળીબાર કરી રહી છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. આ પહેલા સોમવારે તેમના તરફથી ઇન્ટરનેશનલ બોર્ડર અને એલઓસી પર ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં પલ્લાંવાલા સેક્ટરના શેરપલાઈ વિસ્તારમાં ઘરની બહાર સૂઈ રહેલા આઠ મહિનાના એક બાળકનું મોત થઇ ગયું. અરનિયા સેક્ટરમાં એક પોલીસ ઓફિસર સહિત છ લોકો ઘાયલ થયા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.