અમદાવાદથી કોચી જઇ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં ભાવનગરના યુવાનને હાર્ટએટેક આવતા વડોદરા એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. યુવાનને તુરંત જ સારવાર અર્થે 108 મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. પરંતુ ડોક્ટર્સે તેઓને મૃત જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગરના સ્વામિનારાયણનગર ગુરૂકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા(ઉ.વ.38) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેઓને અચાનક જ ગભરામણ થવા લાગી હતી. જેથી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડો. મુકેશભાઇ બોગરાએ જગદીશભાઇને પ્રાથમિક સારવાર આપી હતી. અને ફ્લાઇટનું વડોદરા એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. અને જગદીશભાઇ 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે સયાજી હોસ્પિટલના ડોક્ટર્સે જગદીશભાઇને મૃત જાહેર કર્યા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.