પ્રવાસીઓને કોઇ પણ જાણકારી કે માહિતી વગર છેલ્લા ૧૦ દિવસથી આ સેવા સ્થગિત કરાઇ છે. એર ઉડિશાનાં એરપોર્ટ સૂત્રોનાં જણાવ્યાનુસાર મેન્ટેનન્સનાં કારણોસર આ સેવા હાલ પૂરતી બંધ કરાઇ છે. જોકે એવો ખુલાસો પણ કરાઇ રહ્યો છે કે આ ફલાઇટ બંધ નથી કરાઇ પણ સ્થગિત કરાઇ છે. અમદાવાદ-સુરતના એરક્રાફટમાં એન્જિનિયરિંગ વર્ક કરવાનું હોવાના કારણે હાલમાં થોડા દિવસ આ ફલાઇટ બંધ કરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ૧૮ સીટરનું એરક્રાફટ અમદાવાદથી સુરત દરરોજની સેવા તરીકે બે મહિના પહેલાં શરૂ કરાઇ હતી. જેમાં રોજના સરેરાશ ૧ર થી ૧૩ જેટલા યાત્રીઓ મુસાફરી કરતા હતા. એર ઉડિશાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ સોમવારથી ફરી આ સેવા શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં ર૦૮ હેલિપેડ છે. એરપોર્ટ એટલે જ્યાં સિવિલ એરક્રાફટ માટે લેન્ડિંગ અને ટેકિંગ માટે સરફેસ રનવે હોય, એરક્રાફટ મેન્ટેનન્સની સુવિધા હોય અને મુસાફરો માટેની સુવિધા હોય અને એરફિલ્ડ એટલે કે માત્ર લેન્ડિંગ અને ટેકિંગ માટે સરફેસ રનવે હોય, મકાન ન હોય તેવા ગુજરાતમાં ૧૧ અન યુઝડ એરફિલ્ડ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.