પાન કાર્ડ એ તમારી ઓળખનો એક મહત્વપૂ્ર્ણ દસ્તાવેજ છે. આવકવેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. જ્યારે નાણાંકિય મોટી દેવડદેવડ બેંક થકી કરવી હોય ત્યારે પણ પાન કાર્ડની જરૂર પડે છે. જો કે હવે સરકારના નિયમ મુજબ તમારું પાન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. જો તેમ નહિ હોય તો 30મી જૂન પછી તમારૂ પાન કાર્ડ રદ થઇ શકે છે. સરકારે 11.44 લાખ પાન કાર્ડ બંધ કરી દીધા છે કે એને નિષ્ક્રિય કેટેગરીમાં નાંખી દીધા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરાવવા માટે સમય મર્યાદા વધારી હતી. જોકે વધારેલી સમય મર્યાદાનો પણ 30 જૂન છેલ્લો દિવસ છે. જો આ સમય મર્યાદામાં તમે તમારૂ પાન કાર્ડ આધારકાર્ડ સાથે લીંક નહીં કરાવો તો તમારૂ પાન કાર્ડ રદ થઇ શકે છે. સીબીડીટી આધારથી પાન કાર્ડને લીંક કરવાની સમય મર્યાદા અત્યાર સુધી ચાર વાર વધારાઇ છે. તમને જણાવી દઇએ કે ઓનલાઇન રિટર્ન ભરવા માટે તમારે પહેલા આધાર અને પાન કાર્ડ લીંક કરવા પડશે. સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવું ફરજીયાત બનાવ્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.