West Bengal News: દેશમાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે, તે પહેલા કોલકાતાના ભારતીય સંગ્રહાલયને ઉડાવી દેવાની ધમકી મળી છે.
પશ્ચિમ બંગાળના ભારતીય સંગ્રહાલયને 26 જાન્યુઆરીથી બોમ્બની ધમકી મળી છે. આ અંગે પોલીસને ધમકીભર્યો મેલ આવ્યો છે. આ પછી કોલકાતા પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઈન્ડિયન મ્યુઝિયમ પહોંચી છે અને તપાસ કરી રહી છે. આ ઉપરાંત પ્રવાસીઓના પ્રવેશ પર પણ થોડા કલાકો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોલકાતા પોલીસે આ જાણકારી આપી છે.
કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર ટેરરિસ્ટ 111 નામના જૂથે કોલકાતા પોલીસને એક મેલ મોકલ્યો છે.
આ ધમકીભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા સ્થિત ભારતીય સંગ્રહાલયને બોમ્બથી ઉડાવી દેવાની યોજના છે. આ પછી પોલીસ સક્રિય થઈ અને બોમ્બ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી. બોમ્બ સ્ક્વોડ ટીમ ઈન્ડિયન મ્યુઝિયમની અંદર તપાસ કરી રહી છે. ઉપરાંત, મુલાકાતીઓને મ્યુઝિયમની બહાર રોકવામાં આવ્યા છે.