દિલ્હીમાં વર્ષ 2012ની 16 ડિસેમ્બરે એક 23 વર્ષની મેડિકલની વિદ્યાર્થિની પર ચાલતી બસે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેનું 16 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સમગ્ર દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે સરકારે મહિલાઓ પર થતા અત્યાચારના કાયદાને વધુ કડક બનાવવાની ફરજ પડી હતી. આ કેસના છ મુખ્ય આરોપીઓને ઝડપી લેવાયા હતા. જેમાં એક આરોપીની ઉંમર 18 વર્ષ કરતાં થોડા દિવસો ઓછી હોવાને કારણે તેને ત્રણ વર્ષ સુધી બાળ સુધાર ગૃહમાં રાખ્યા બાદ મુક્ત કરી દેવાયો હતો. એ બસના ડ્રાઇવર રામ સિંઘે જેલમાં જ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત ચાર આરોપીઓ 29 વર્ષના મુકેશ, 22 વર્ષના પવન ગુપ્તા અને 23 વર્ષના વિનય શર્મા અને 31 વર્ષના અક્ષય કુમારને દિલ્હી હાઈ કોર્ટ અને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે વર્ષ 2017ના 5 મેના રોજ આ આરોપીઓએ કરેલી અપીલના ચુકાદામાં હાઈ કોર્ટ અને ટ્રાયલ કોર્ટે સંભળાવેલી મૃત્યુદંડની સજાને જાળવી રાખી છે. આ ચુકાદા સામે ત્રણ આરોપીઓ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માએ રિવ્યૂ પીટિશન કરી હતી. અક્ષય કુમારે સજા હળવી કરવાની અરજી કરી નથી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.