નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ સતત ચર્ચાનો વિષય બની રહી છે. સોમવારે, આ ફિલ્મ સાથે સંબંધિત એક અપડેટ સામે આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રી લારા દત્તા અને દેઓલ બ્રધર્સ આ ફિલ્મનો ભાગ હશે.
હવે આ સમાચાર પર બોબી દેઓલની ટીમ તરફથી એક અપડેટ સામે આવ્યું છે, જેને જાણીને તેના ફેન્સના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું છે.
શું બોબી દેઓલ ‘રામાયણ’નો ભાગ બનશે?
આ ફિલ્મમાં કુંભકર્ણની ભૂમિકા ભજવવા માટે અભિનેતા બોબી દેઓલનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હવે આ સમાચાર પર મૌન તોડતા અભિનેતાની ટીમે કહ્યું છે કે બોબીને કોઈ રોલ ઓફર કરવામાં આવ્યો નથી.બોબી દેઓલની ટીમે આ અટકળોને નકારી કાઢી છે અને જવાબમાં કહ્યું છે કે બોબીને નિતેશ તિવારીની ‘રામાયણ’માં આવો કોઈ રોલ ઑફર કરવામાં આવ્યો નથી.
સની દેઓલ આ પાત્ર ભજવશે
આ સિવાય બોબી દેઓલનો મોટો ભાઈ સની દેઓલ પણ આ ફિલ્મમાં જોડાયો હોવાના સમાચાર છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મેકર્સ ફિલ્મમાં ભગવાન હનુમાનની ભૂમિકા માટે સની દેઓલ પર વિચાર કરી રહ્યા છે. રામાયણની ટીમ સની દેઓલ સાથે ચર્ચાના અંતિમ તબક્કામાં છે. જો કે, અભિનેતાએ હજુ સુધી ફિલ્મને લઈને કંઈપણ સાઈન કર્યું નથી.
રણબીર કપૂર બનશે રામ
આ ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી સ્ક્રીન પર માતા સીતાનો રોલ કરશે. KGF એક્ટર યશ તેમાં રાવણનો રોલ કરશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થવાના અહેવાલ છે. ‘રામાયણ’ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.