ભારતીય રેલવેમાં લાખો જગ્યાઓ ખાલી હોવાથી હવે ૧.૩૦ લાખ જગ્યાઓ પર ભરતી કરવા માટે રેલવેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે સ્વયં આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રેલવે ટૂંક સમયમાં ૧.૩૦ લાખ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા શરૂ કરશે. આ માટે કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ યોજાશે. આ ભરતી કોઇ પણ જાતના મૌખિક ઇન્ટરવ્યૂ વગર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે આરપીએફની ભરતીમાં કેટલાક નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર અંગે જાણકારી આપી હતી. રેલવે પોલીસ ફોર્સમાં થનારી આ ભરતીમાં ૯પ૦૦ થી ૧૦,૦૦૦ જવાનોની પસંદગી કરવામાં આવશે. જે પૈકી પ૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તેમણે જણાવ્યું હતું કે બિહારના નવયુવાનોએ રેલવેના સંચાલનમાં મોટું યોગદાન આપ્યું છે અને મોટી સંખ્યામાં બિહારના નવયુવાનોએ રેલવેમાં સેવા આપી છે. આ અગાઉ રેલવેએ ગ્રૂપ સી અને ગ્રૂપ ડી માટે બમ્પર ભરતી યોજી હતી. તેમાં બે-બે કરોડ ઉમેદવારોએ અરજી કરી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.