કેરળમાં પૂરને કારણે 2 લાખ લોકોનું સ્થળાંતર કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં ઓછામાં ઓછા 324 લોકોનાં મોત થયાં છે. સ્થાનિક અધિકારીઓના કહેવા મુજબ આવું પૂર છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યું નથી. ભારતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં થાય છે. જોકે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો વધ્યો છે. બચાવકર્મીઓ પણ ભારે વરસાદને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2 લાખથી વધારે લોકોને તેમના ઘર છોડી કૅમ્પોમાં આશરો લેવો પડ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ આવી પહોંચ્યા હતા અને તેમણે પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. કેરળ સરકારના કહેવા પ્રમાણે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મોટાભાગના લોકો દબાઈને મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હજી પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે અને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કેરળનું મુખ્ય ઍરપૉર્ટ 26 ઑગસ્ટ સુધી બંધ રહેશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.