BCCI: માનસિક થાકને કારણે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાંથી બ્રેક લીધા બાદ ઇશાન કિશને ચાલી રહેલી રણજી ટ્રોફીમાં ઝારખંડ માટે એક પણ મેચ રમી નથી. ઈશાનને અફઘાનિસ્તાન સામેની હોમ ટી20 સીરીઝ અને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. બીસીસીઆઈએ આ માટે કડક નિર્દેશ પણ આપ્યા છે.
સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પર બીસીસીઆઈના નિર્દેશોની કોઈ અસર થાય તેવું લાગતું નથી. તે રણજી ટ્રોફી 2024ના છેલ્લા રાઉન્ડમાં ભાગ લેશે નહીં. રાજસ્થાન સામેની એલિટ ગ્રુપ A મેચમાં તેને ઝારખંડની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી.
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી જય શાહે ખેલાડીઓને કરાર આપવાના બોર્ડના નિર્દેશની પુષ્ટિ કર્યાના દિવસો બાદ રણજી ટ્રોફીની મેચો ન રમવાનો ઇશાનનો નિર્ણય આવ્યો છે.
માનસિક થાકને કારણે વિરામ લીધો
માનસિક થાકને કારણે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાંથી બ્રેક લીધા બાદ ઇશાન કિશને ચાલી રહેલી રણજી ટ્રોફીમાં ઝારખંડ માટે એક પણ મેચ રમી નથી. ઈશાનને અફઘાનિસ્તાન સામેની હોમ ટી20 સીરીઝ અને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.
જય શાહે ચેતવણી આપી છે
જય શાહે કહ્યું હતું કે તેમને ફોન પર જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવશે. જો તમારા પસંદગીકારો, તમારા કોચ અને તમારા સુકાની તે માટે પૂછે છે તો તમારે સ્થાનિક ક્રિકેટ રમવું પડશે.
રાહુલ દ્રવિડે પણ આ વાત કહી
મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ઈશાન કિશને સિનિયર રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામતા પહેલા પોતાને ઉપલબ્ધ કરાવવો પડશે અને પછી ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો પડશે.
IPLની તૈયારીમાં વ્યસ્ત ઈશાન કિશન
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ઈશાન કિશને છેલ્લે નવેમ્બર 2023માં ભારત માટે ક્રિકેટ રમી હતી. જોકે, કિશને આઈપીએલ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તે જીમમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો.