જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે. તે બંન્ને વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોને મોડી રાતે અનંતનાગના કોકેરનાગમાં આતંકીઓ હોવાની ખબર મળી હતી. જે પછી સેના, પોલીસ અને સીઆરપીએફના જવાનોએ મળીને સંયુકત સર્ચ અભિયાન ચલાવ્યું હતું અને આતંકીઓને ઘેરવામાં સફળતા મેળવી હતી. આ દરમિયાન આતંકીઓને જાણ થઇ કે પોતે ઘેરાઇ ગયા છે પછી તેમણે ગોળીબારી કરવાની શરૂ કરી દીધી હતી. પછીથી સેનાએ આતંકીઓ પર પણ ફાયરિંગ કરી હતી. જાણકારી પ્રામાણે બંન્ને બાજુથી ગોળીબારી ચાલુ છે. અથડામણ વચ્ચે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ગુરૂવારે રાતે જમ્મુ કાશ્મીરના બારામૂલામાં લશ્કર-એ-તૈયબાના સંદિગ્ધ આતંકવાદીઓએ વન વિભાગના એક અધિકારીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસના પ્રવકતાએ આ અંગે જણાવતા કહ્યું કે, આજે સાંજે આતંકવાદી ટન્ગમર્ગના જંડપાલ વિસ્તારમાં સ્થિત તારીક એહમદ મલિકના ઘરમાં ઘુસી આવ્યાં હતાં.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.