ઓક્ટોબર મહિનાથી રાજધાની અને શતાબ્દી ટ્રેનના યાત્રીઓને ઝટકા સહન કરવામાંથી મુક્તિ મળશે. રેલવેએ એલએચબી બોગીઓમાં લાગતાં સેન્ટ્રલ બફર કપ્લર (સીબીસી)ની ડિઝાઇનમાં સંશોધન કર્યું છે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીએ આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જૂના પ્રકારનાં સીબીસી કપ્લરના કારણે રાજધાની અને શતાબ્દી ટ્રેનના યાત્રીઓને ટ્રેન ચાલતી અને રોકાતી વખતે જર્કની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. રેલવેના એન્જિનિયરોએ આ સમસ્યામાંથી છુટકારો મેળવવા ઘણા પ્રયત્ન કર્યા હતા. હવે તેમાં સફળતા મળી છે. રેલવેએ નવા પ્રકારનાં સીબીસી વિકસાવ્યાં છે, જેના ઉપયોગથી આ સમસ્યામાંથી છુટકારો મળશે. જર્મન ટેકનિક પર આધારિત એલએચબી કોચ આમ તો ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીની ડિઝાઇન પર નિર્મિત આઇસીએફ કોચની સરખામણીમાં સુરિક્ષત છે, પરંતુ જર્કની સમસ્યાની ફરિયાદ યાત્રીઓ હંમેશાં કરતા હોય છે, જેનું કારણ તેમાં રહેલ સીબીસી હતાં, તેમાં અત્યંત નબળા શોક એક્સોર્બર પ્રયોગ કરાયો હતો. રેલવેએ તેને ઠીક કરવા અનેક પ્રયાસ કર્યા, પરંતુ તેમાં સફળતા ન મળી. પરિણામ સ્વરૂપે રેલવેએ બેલેન્સ્ડ ડ્રાફટ િગયરવાળાં નવાં સીબીસી કપ્લર વિકસાવવાનો નિર્ણય લીધો, તેમાં ઝટકાઓ સમાવવાની ક્ષમતા છે. આ કારણે ટ્રેન ચાલતી અને રોકાતી વખતે યાત્રીઓને ઝટકા નહીં અનુભવાય.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.