કેરળના પૂૂરપીડિતોની મદદ માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ આગળ આવી છે. અમિતાભ બચ્ચનથી લઇને શાહરુખ ખાન સહિત અન્ય સેેલિબ્રિટીઝે પીડિતોની મદદ માટે દાન આપ્યું છે. હવે સની લિયોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. સનીએ કેરળના પૂરપીડિતો માટે અનાજ દાન કર્યું છે, તેની જાણકારી સોશિયલ મીડિયાની એક પોસ્ટ દ્વારા મળી છે. સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લખ્યું છે કે આજે ડેનિયલ અને હું આશા રાખીએ છીએ કે કેરળના લોકોને ભોજન કરાવવામાં સક્ષમ હોઇશું. ૧ર૦૦ કિલો દાળ ચોખાથી કેરળના લોકોને ભોજન મળશે. હું જાણું છું કે તેમને આના કરતાં પણ વધુ જરૂર છે. મારી ઇચ્છા છે કે હું હજુ વધારે કંઇક કરી શકું. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાઇરલ થયા હતા કે સની લિયોને કેરળના લોકોની મદદ માટે રૂ.પાંચ કરોડનું દાન કર્યું, જોકે તેના મેનેજર ઇબ્રાહીમે કહ્યું કે સનીએ કેરળના પૂરપીડિતો માટે દાન તો આપ્યું છે, પરંતુ તે રકમ કહી શકાય તેમ નથી, કેમ કે આ એક પર્સનલ બાબત છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.