બેંગલુરુના રાજાજીનગરમાં રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયો છે. જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું છે કે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો. તે સિલિન્ડર બ્લાસ્ટ નહોતો.
વ્હાઇટફિલ્ડના ફાયર સ્ટેશનનું કહેવું છે કે અમને ફોન આવ્યો કે રામેશ્વરમ કેફેમાં સિલિન્ડર વિસ્ફોટ થયો છે. અમે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ડોગ સ્ક્વોડની સાથે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ વિસ્ફોટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા.
રેસ્ટોરન્ટના એક સિક્યોરિટી ગાર્ડે કહ્યું, “હું કાફેની બહાર ઊભો હતો. રેસ્ટોરન્ટમાં ઘણા ગ્રાહકો હાજર હતા. અચાનક જોરદાર અવાજ સંભળાયો અને આગ ફાટી નીકળી, હોટલની અંદર રહેલા ગ્રાહકોને ઈજા થઈ.
શુક્રવારે રામેશ્વરમ કેફેમાં શંકાસ્પદ એલપીજી સિલિન્ડર વિસ્ફોટ અને આગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. જો કે હજુ સુધી ઘાયલોની ચોક્કસ સંખ્યા આપવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર કુંદનહલ્લીના રામેશ્વરમ કેફેમાં બપોરે 1.30 થી 2 વાગ્યાની વચ્ચે વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. જો કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ઘટનાની તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.