પંજાબના નાણાં પ્રધાન હરપાલ સિંહ ચીમાએ મંગળવારે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યનું 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું કે બજેટમાં મુખ્યત્વે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ કરતાં ચીમાએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની AAP (આમ આદમી પાર્ટી) સરકારે બે વર્ષમાં 40,000 થી વધુ નોકરીઓ પ્રદાન કરી છે. તેમણે કહ્યું કે 2 લાખ કરોડ રૂપિયાથી વધુના કુલ વાર્ષિક ખર્ચમાંથી 13,784 કરોડ રૂપિયા કૃષિ ક્ષેત્ર માટે અને 16,987 કરોડ રૂપિયા શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા છે.
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે બે વર્ષમાં અમારી સરકારે 40 હજારથી વધુ નોકરીઓ આપી છે. ખેડૂતોને મફત વીજળી આપવા માટે બજેટમાં 9330 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય હેઠળની તમામ યુનિવર્સિટીઓ માટે 1425 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કૃષિ માટે 13 હજાર 784 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. શાળા શિક્ષણ માટે 16 હજાર 967 કરોડ રૂપિયાનું બજેટ છે. પંજાબમાં વિકાસ દર 9.41 ટકા છે.
પંજાબ સરકારના આ બજેટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 2024-25ના બજેટમાં 166 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. આ બજેટમાં સ્મારકોના નિર્માણ, જાળવણી અને સંરક્ષણ માટે રૂ. 30 કરોડ અને પ્રવાસનના બ્રાન્ડિંગ માટે રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ વર્ષે, સ્કુલ ઓફ હેપીનેસની એક નવી પહેલ કરવામાં આવી છે, જેમાં ત્રણથી 11 વર્ષના બાળકો માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માટે 100 પ્રાથમિક શાળાઓને ખુશીની શાળામાં પરિવર્તિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ માટે 10 કરોડ રૂપિયા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ હવે સ્કૂલ ઓફ એમિનન્સ બાદ સ્કૂલ ઓફ બ્રિલિયન્સ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં 100 સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળાઓને બ્રિલિયન્સ શાળાઓમાં પરિવર્તિત કરવામાં આવશે. આ માટે 10 કરોડ રૂપિયાની પ્રારંભિક દરખાસ્ત કરવામાં આવી છે.