છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજયમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં વાપસીને લઇને સંઘર્ષ કરી રહી છે ત્યારે આ બધા વચ્ચે એક નવા રાજકીય સમીકરણમાં માયાવતીએ પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની નવી પાર્ટી સાથે ગઠબંધન કરી લીધુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિપક્ષી દળને એકજૂટ કરવાની યોજનાને ઝટકો આપતા માયાવતીએ અજીત જોગીના પક્ષ સાથે ગઠબંધન કરીને છત્તીસગઢમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પાર્ટીના સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી છે કે તેઓ છત્તીસગઢમાં જોગીની પાર્ટી સાથે જયારે મધ્યપ્રદેશમાં બસપા એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડશે. છત્તીસગઢમાં ચૂંટણી જીત્યા બાદ અજીત જોગી ગઠબંધન સરકારના મુખ્યમંત્રી હશે. જો કે આ અગાઉ એવુ અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે બહુજન સમાજ પાર્ટી (બસપા) રાજયમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. જો કે પહેલા બસપા રાજયમાં ૯૦ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી. છત્તીસગઢમાં બસપા અને જોગીની પાર્ટી વચ્ચે સહમતિને લઇને મળતી જાણકારી મુજબ જોગીની પાર્ટી ૫૫ અને બસપા ૩૫ બેઠક પર ચૂંટણી લડશે. માયાવતીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે અજીત જોગીનો છત્તીસગઢમાં ઉપયો કર્યો અને ત્યારબાદ તેમની છોડી દીધા. માયાવતીએ કહ્યું કે હુ ગઠબંધન વિરૂધ્ધ નથી પરંતુ બીજી પાર્ટીઓએ પણ તેને મહત્વ આપવું જોઇએ. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને માયાવતીએ કહ્યું કે ત્યાં બસપા એકલા હાથે ચૂંટણી લડશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.