સેલવાસ – સંદ્યપ્રદેશ દાનહને પુરી તરહ કેશલેસ બનાવવા માટે પ્રશાસન દ્વારા ભરપુર પ્રયાસ કરવામાં આવી રહેલ છે. આના આધારે હવે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એક નોટીસ જાહેર કરી આગામી ૧૫ મી ડિસેમ્બરથી રોકડમાં દારૂનું વેચાણ કરવામાં આવશે નહી. પ્રાપ્ત વિગતો મુજબ દાનહ ઈન્કમ ટેક્સ વિભાગના ઉપસચિવ એસ કૃષ્ણા ચૈતન્યા દ્વારા પ્રશાસકના તરફથી ગુરુવારના રોજ તમામ વર્ગના દારૂના વિક્રેતાઓ માટે એક આદેશ જાહેર કરવામાં આવેલ છે. જેમાં એલ-૨,એલ-૫ અને એલ-૬ કેટેગરીના લીકર લાઈસન્સ ધારક આગામી ૧૫ ડિસેમ્બરથી રોકડમાં દારૂનું વેચાણ બંધ કરવાની વાત જણાવી છે. તમામ મુજબનું વેચાણ ઈ-વૈલેટ, ક્યુઆરસી કોડ, યુ.પી.આઈ. અને ઈ-પેમેન્ટના માધ્યમથી કરવામાં આવે છે. જ્યારે એલ-૪ કેટેગરીના દેશી દારૂની દુકાનદારો માટે આગામી ૨૨ ડિસેમ્બરથી અમલ થશે અને આ દરમ્યાન કોઈ પણ લાયસન્સ ધારક રોકડમાં દારૂનું વેચાણ કરશે તો તેમનું લાયસન્સ દાનહ આંબકારી અધિનિયમ ૨૦૧૨ તથા નિયમ ૨૦૧૬ના મુજબ રદ કરવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.