Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. બીજેપીએ ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ રદ્દ કરી દીધી છે અને પાર્ટીએ તેમના સ્થાને સંજય ટંડનને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે.
BJP releases its 10th list of candidates for the Lok Sabha elections.#LokSabaElection2024 pic.twitter.com/gyPPEm7Z40
— ANI (@ANI) April 10, 2024
જયવીર સિંહ ઠાકુર મૈનપુરીથી ચૂંટણી લડી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ યુપીમાં સાત બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે મૈનપુરીથી જયવીર સિંહ ઠાકુર અને કૌશામ્બીથી વિનોદ સોનકરને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પ્રવીણ પટેલ અને નીરજ ત્રિપાઠી અનુક્રમે ફૂલપુર અને અલ્હાબાદથી ચૂંટણી લડશે. નીરજ શેખરને બલિયાથી, બીપી સરોજને મચલીશહરથી અને પારસ નાથ રાયને ગાઝીપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી એસએસ અહલુવાલિયાને ટિકિટ આપી છે.