Telangana: તેલંગાણાની એક સરકારી સ્કૂલમાં ઉપમા ખાધા પછી ડઝનથી વધુ બાળકો બીમાર પડ્યા. આ મામલે કાર્યવાહી કરીને રસોઈયા અને મદદનીશ રસોઈયાને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
તેલંગાણાના મેડક જિલ્લામાં એક સરકારી શાળા સાથે જોડાયેલ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીઓને નાસ્તામાં ઉપમા આપવામાં આવી હતી, જેમાં ગરોળી હતી. આ ખાધા બાદ એક ડઝનથી વધુ બાળકો બીમાર પડ્યા હતા. કેન્દ્ર સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. સ્પષ્ટતા આપતા, શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેલંગાણા સરકાર તેની યોજના હેઠળ વિદ્યાર્થીઓને નાસ્તો આપે છે. કેન્દ્ર સરકારની ‘પીએમ ન્યુટ્રિશન’ યોજના હેઠળ શાળામાં નાસ્તો આપવામાં આવતો નથી