Sindoor Flyover મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન: જાણો તેના ફાયદા અને સંપૂર્ણ વિગતો
Sindoor Flyover મુંબઈવાસીઓ માટે ખુશખબર છે. દક્ષિણ મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો ‘સિંદૂર બ્રિજ’ હવે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે આ પુલનું ઉદ્ઘાટન કર્યું. અગાઉ તેનો નામ ‘કર્ણાક બ્રિજ’ હતું, જેને ઓગસ્ટ 2022માં સુરક્ષા કારણોસર તોડી પાડવામાં આવ્યો હતો. હવે તેનો પુનઃનિર્માણ થઈને તેનું નામ બદલીને ‘સિંદૂર બ્રિજ’ રાખવામાં આવ્યું છે.
કર્ણાક બ્રિજથી સિંદૂર બ્રિજ સુધીનો સફર
આ બ્રિજ 150 વર્ષ જૂનો હતો અને તેની હાલત જોખમજનક થઈ ગઈ હતી. એટલે કરીને તેને તોડી પાડીને નવી ટેક્નોલોજી અને સુરક્ષા માપદંડોને અનુરૂપ પુનઃનિર્માણ કરાયું છે. પૂર્વેના બ્રિટિશ ગવર્નર જેમ્સ રિવેટ કાર્નાકના નામે થયેલા આ બ્રિજનું નામ હવે ‘ઓપરેશન સિંદૂર’ના શૌર્યને યાદ કરતા બદલાયું છે.
🔸Inauguration of the 'Sindoor' Flyover at the hands of CM Devendra Fadnavis.
Legislative Assembly Speaker Adv Rahul Narwekar and Minister Mangal Prabhat Lodha were present.🔸मुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्या हस्ते 'सिंदूर' उड्डाणपुलाचे लोकार्पण.
यावेळी विधानसभा अध्यक्ष ॲड.… pic.twitter.com/OoU4qoSPJJ— CMO Maharashtra (@CMOMaharashtra) July 10, 2025
મુખ્યમંત્રીએ શું કહ્યું?
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું:
“કર્ણાક એક જુલમી શાસક હતો. આપણે ઓપરેશન સિંદૂરથી ગર્વ અનુભવીએ છીએ. હવે આ પુલનું નામ આપણા શૌર્યના પ્રતિક રૂપે ‘સિંદૂર બ્રિજ’ રાખવામાં આવ્યું છે. BMCએ ઝડપથી અને ગુણવત્તાપૂર્વક કામ પૂર્ણ કર્યું છે.”
બ્રિજની વિશેષતાઓ શું છે?
કુલ લંબાઈ: 328 મીટર
બાંધકામ સમય: ઓગસ્ટ 2022થી જુલાઈ 2025 સુધી
વિશેષ:
70 મીટર રેલવે પરિસર આવરી લે છે
230 મીટર એપ્રોચ રોડ
બે સ્ટીલ ગર્ડરનું ઉપયોગ (પ્રત્યેકનું વજન 550 મેટ્રિક ટન)
દક્ષિણ ગર્ડર – 19 ઓક્ટોબર 2024
ઉત્તરીય ગર્ડર – જાન્યુઆરી 2025માં રેલવે અવરોધ વચ્ચે સ્થાપિત
લાભ શું મળશે?
દક્ષિણ મુંબઈમાં પશ્ચિમ-પૂર્વ ટ્રાફિકનું દબાણ ઘટશે
મસ્જિદ બંદર સ્ટેશન નજીકના વિસ્તારો જેમ કે કાલબાદેવી, ક્રોફર્ડ માર્કેટ અને મોહમ્મદ અલી રોડ સાથે સધી કનેક્ટિવિટી
સ્થાનિક વેપારીઓ અને દૈનિક મુસાફરોને રાહત મળશે
નવા બ્રિજથી સુરક્ષા અને અવરજવર ઝડપમાં વધારો થશે