વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેરીટેજ સિટી અમદાવાદને આજે મેટ્રો ટ્રેનની ગિફટ આપી હતી. એપેરલ પાર્કથી વસ્ત્રાલ સુધી મુસાફરી પણ કરી હતી. આ સાથે જ અમદાવાદની કાયાપલટ થવા પામી છે. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યાપાલ ઓપી કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મેટ્રો ટ્રેનનો 31મી જાન્યુઆરીએ ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. એપેરલ પાર્ક ખાતે કરવામાં આવ્યો 900 મીટરનો ટ્રાયલ રન કરાયો હતો. અમદાવાદીઓનું સ્વપ્નું સાકાર થયું છે.
વિગતો મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત પ્રથમ ટ્રેન પહેલી જાન્યુઆરીએ અમદાવાદ આવી હતી અને હાલ તેનું ટ્રાયલ તથા અન્ય પાસાઓની કામગીરી એપેરલ પાર્ક ડેપો ખાતે કરવામાં આવી હતી. હવેથી ટ્રેનને એપેરલ પાર્કથી વસ્ત્રાલ સુધી 6.5 કિ.મીના રૂટ પર ટ્રેનને નિયમીત રીતે દોડાવવામાં આવનાર હોવાનું અમદાવાદ મેટ્રો તરફથી જણાવવામાં આવ્યું છે. રોડના ટ્રાફીકમાંથી અમદાવાદીઓનો આ રૂટ પર મેટ્રો ટ્રેનની ગિફટ મળતા છૂટકારો થયો છે.