Anand: આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ ધરાશાયી, એક મજૂરનું મોત
Anad: આણંદ જિલ્લામાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બાંધકામ સ્થળ પર બનેલું કામચલાઉ માળખું તૂટી પડતાં એક મજૂરનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જસાણીએ જણાવ્યું કે આ ઘટના વાસદ ગામમાં બની હતી.
Anand: તેમણે કહ્યું, “પ્રારંભિક માહિતી અનુસાર, ચાર કામદારો કોંક્રીટ બ્લોક વચ્ચે ફસાયા હતા, જેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં એક કામદારનું મોત થયું હતું.
પ્રોજેક્ટનો અમલ કરી રહેલા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના એક અધિકારીએ જણાવ્યું કે, ફાઉન્ડેશનના કામ માટે ઉપયોગમાં લેવાતા સ્ટીલ અને કોંક્રીટના બ્લોકથી બનેલા અસ્થાયી માળખું તૂટી પડવાના અહેવાલ છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના સ્થળ વડોદરા નજીક મહી નદી પાસે બની હતી અને ક્રેન્સ અને ખોદકામ મશીનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ઘણા મોટા બાંધકામ કામો થઈ રહ્યા છે, જેમાં પુલનું બાંધકામ પણ સામેલ છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ હેઠળ કુલ 20 નદી પુલ બનાવવાના છે, જેમાંથી 12નું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તાજેતરમાં નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબા પુલનું કામ પૂર્ણ થયું છે. આ સાથે વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવતી તમામ નવ નદીઓ પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલતી બુલેટ ટ્રેન એ ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેનું સંચાલન નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ભારતના પરિવહનને આધુનિક બનાવવા ઉપરાંત ઘણા સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ પ્રદાન કરે છે. સરકાર આ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે, જેથી દેશને નવી પરિવહન સુવિધા મળી શકે.