મહારાષ્ટ્રના પાલઘર ખાતે ત્ર્યબંકેશ્વર રોડ પર થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે. પોણા ત્રણ વાગ્યાની આસપાસ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના તોરણઘાટ અને મોખાડા વચ્ચે બની હતી.
વિગત મુજબ ગુજરાત પાસીંગની અને સુરતના લક્ષ્મી ટ્રાવેલ્સની મનાતી આ બસ અચાનક રોડ પરથી ગબડીને સીધી ખીણમાં પડી ગઈ હતી. ઘટના સ્થળે જ 6 લોકોના મોત નિપજ્યા હતા. ખાનગી ટ્રાવેલ્સની બસમાં વિદ્યાર્થીઓ સહિતના લોકો હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા 6 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે. ઈજાગસ્તોને પાલઘરના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતની મનાતી બસ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે આમાં બેઠેલા મુસાફરો ક્યાંના છે અને તેઓ સલામત છે કે નહીં. હાલ પોલીસે તમામ ઈજાગ્રસ્તો સહિત મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે.
