Ghungharu Festival 2025: ઘૂંઘરુ ફેસ્ટિવલમાં લાસ્ય કલાવૃંદે સુરતનું નામ રોશન કર્યું, શિવ-ગંગા નૃત્યથી મંચ જીતી લીધો

Arati Parmar
2 Min Read

Ghungharu Festival 2025: દેશભરના 1800 કલાકાર વચ્ચે સુરતનો લાસ્ય કલાવૃંદ બન્યો મંચનું કેન્દ્રબિંદુ

Ghungharu Festival 2025: મુંબઈ ખાતે યોજાયેલા Ghungharu Festival 2025 માં દેશના 1800થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલમાં સુરતના ‘લાસ્ય કલાવૃંદ’ ગ્રૂપે તેમના અનોખા પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ગ્રૂપે આસામનું લોકપ્રિય બિહુ નૃત્ય અને શિવ-ગંગાની કથા આધારિત શાસ્ત્રીય નૃત્ય રજૂ કરીને ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર મેળાવડો કરાવ્યો.

ચિંતન વશીના માર્ગદર્શન હેઠળ સર્જાયુ કલાનું કાવ્ય

લાસ્ય કલાવૃંદના સમગ્ર પ્રદર્શનનું દિગ્દર્શન જાણીતા કલાગુરુ ચિંતન સતીષ વશીએ કર્યું હતું. આશ્ચર્યજનક રીતે માત્ર 15 દિવસની તૈયારીમાં તેઓએ બે નૃત્યો તૈયાર કર્યા—આસામનો 10 મિનિટનો બિહુ નૃત્ય અને 8 મિનિટનું શિવ-ગંગા નૃત્ય. બિહુ નૃત્ય દ્વારા ખેતી અને આસામની પ્રાકૃતિક જીવનશૈલી રજૂ કરવામાં આવી હતી, જ્યારે શિવ અને ગંગાની ભાવભીની કથા શાસ્ત્રીય ભાવનાત્મક દ્વારા જીવંત થઈ.

Ghungharu Festival 2025

13 મહિલા કલાકારોએ બનાવી અનોખી ઓળખ

લાસ્ય કલાવૃંદના કુલ 700 સભ્યોમાંથી આ ખાસ પ્રસ્તુતિ માટે 13 મહિલા કલાકારો પસંદગી પામી હતી. તેઓએ પોતાની કરમઠતા અને ઉત્સાહથી ભારતીય સંસ્કૃતિની અનેકવર્ણી ભવ્યતા મંચ પર દાખવી દીધી. ખાસ કરીને આસામના લોકનૃત્યની પસંદગી કરીને તેમણે દેશની ઐક્યતા અને વિવિધતા રજૂ કરી.

Ghungharu Festival 2025

ગુજરાત માટે ગર્વની ક્ષણ

આ સમગ્ર કાર્યક્રમમાં સુરતના આ ગ્રૂપની હાજરી એ ગુજરાત માટે ગૌરવની વાત હતી. તેમની રજૂઆત દ્વારા એક નાનું શહેર પણ રાષ્ટ્રીય કક્ષાએ કલા અને સંસ્કૃતિના માધ્યમથી પોતાની ઓળખ બનાવી શકે છે તે સાબિત થયું. Ghungharu Festival 2025 માં લાસ્ય કલાવૃંદે જે રીતે ગુજરાતી સંસ્કૃતિ સાથે ભારતીય લોકનૃત્યનું સંગમ રજૂ કર્યો તે પ્રશંસાપાત્ર છે.

Share This Article