Small Savings Scheme Update : “સુકન્યા સમૃદ્ધિ, PPF પર મહત્વપૂર્ણ અપડેટ: સરકારનો વ્યાજ દર અંગે મોટો નિર્ણય!”
સરકાર દ્વારા બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરાઈ
આ યોજનાઓના વ્યાજ દરો ત્રીજી ક્વાર્ટરની જેમ યથાવત રહેશે, જેમાં કર છૂટ અને ગેરંટી આપવામાં આવે
Small Savings Scheme Update : PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSC સહિતની નાની બચત યોજનાઓ (Small Savings Scheme)ના વ્યાજ દરો પર સરકારનો નિર્ણય આવી ગયો છે. હકીકતમાં, સરકારે 1 જાન્યુઆરીથી શરૂ થતા ચોથા ક્વાર્ટર માટે PPF સહિતની નાની બચત યોજનાઓ (Small Savings Scheme)ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ અંગે નાણા મંત્રાલય દ્વારા મંગળવારે એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટર (1 ઓક્ટોબર 2024થી 31 ડિસેમ્બર 2024)માં નાની બચત યોજનાઓ (Small Savings Scheme)ના જે વ્યાજ દરો હતા, એ વ્યાજ દરો જ નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર (1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025)માં યથાવત રહેશે.
* સુકન્યા સમૃદ્ધિ યોજના – 8.2 ટકા
* ત્રણ વર્ષની ડિપોઝિટ – 7.1 ટકા
* પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) – 7.1 ટકા
* પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝિટ યોજનાઓ – 4 ટકા
* કિસાન વિકાસ પત્ર – 7.5 ટકા
* નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર) (NSC) – 7.7 ટકા
* માસિક આવક યોજના – 7.4 ટકા
* વરિષ્ઠ નાગરિક બચત યોજના – 8.2 ટકા
11 નાની બચત યોજનાઓ ચલાવે છે સરકાર
કેન્દ્ર સરકાર કિસાન વિકાસ પત્ર, પીપીએફ, વરિષ્ઠ નાગરિક બચત યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ બચત ખાતું જેવી 11 મુખ્ય નાની બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાં અલગ-અલગ સમય માટે નાની બચતમાં પૈસા જમા કરાવી શકાય છે. સરકાર કેટલીક યોજનાઓમાં ટેક્સ બેનિફિટ્સ પણ આપે છે.