Uddhav Thackeray “ઘાયલ વાઘ શું કરી શકે છે એ તમે જોશો, મરાઠી માનુષને ઓછો ન આંકતા”: ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને આપ્યો જવાબ
Uddhav Thackeray શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમને ‘મરાઠી માનુષ’ને ઓછું ન આંકવાની ચેતવણી આપીને કહ્યું કે ‘ઘાયલ વાઘ’ શું કરી શકે છે તે અંગે તેમને ટૂંક સમયમાં જ ખબર પડશે.ઉદ્વવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના “છેલ્લી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (યુબીટી)નો સફાયો થયો હતો. હવે ઉદ્ધવ ઠાકરેને તેમની જગ્યાએ બતાવશે”નાં નિવેદન બાદ આવ્યું છે.
ઠાકરેએ અમિત શાહને આપ્યો જવાબ
Uddhav Thackeray ગુરુવારે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર જાહેર સભાને સંબોધતા ઠાકરેએ કહ્યું, “અમિત શાહે કહ્યું કે આ ચૂંટણીઓ ઉદ્ધવ ઠાકરેને તેમની જગ્યાએ બતાવશે. ઠીક છે, અમિત શાહ જી! તમે જોશો કે ઘાયલ વાઘ અને શું શું કરી શકે છે અને ‘મરાઠી માનુષ’ને નજર અંદાજ કરતા નહીં, અમે ઔરંગઝેબને ઘૂંટણ ટેકવવા મજબૂર કરી દીધા, તો અમિત શાહ કોણ છે?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને બેલેટ પેપર પર ચૂંટણી કરાવવાનો પણ પડકાર ફેંક્યો હતો. તેમણે ‘હિંદુત્વ’ને લઈને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જેઓ સાંપ્રદાયિક નફરત ફેલાવે છે તે હિન્દુ ન હોઈ શકે.
ઉદ્ધવ ઠાકરેની ઇવીએમને દુર કરવા માંગ
ઉદ્વવ ઠાકરેએ કહ્યું, “જો તમને થોડી પણ શરમ હોય, તો ઈવીએમને દુર કરો અને બેલેટ પેપર પર ચૂંટણી કરાવો. જે કોઈ હિન્દુ-મુસ્લિમ દુશ્મનાવટ ફેલાવે છે તે હિન્દુ ન હોઈ શકે… અમારું હિન્દુત્વ સ્પષ્ટ છે.”શિવસેના (UBT) ને 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, તેને માત્ર 20 બેઠકો મળી હતી, જ્યારે ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને 235 બેઠકો સાથે પ્રચંડ જીત નોંધાવી હતી.
પરિણામો બાદ, મહા વિકાસ અઘાડી (MVA)ના ઘણા નેતાઓએ EVM અંગે શકાં વ્યક્ત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પેપર બેલેટ પરત કરવાની માંગને નકારી કાઢી હતી, સૂચનને અયોગ્ય અને પ્રતિકૂળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ઈવીએમ સામેની માંગનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો છે..
2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન 235 બેઠકો સાથે વિજયી બન્યું હતું, જ્યારે શિવસેના(શિંદે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(અજીત)એ પણ અનુક્રમે 57 અને 41 બેઠકો સાથે નોંધપાત્ર ફાયદો મેળવ્યો હતો.
બીજી તરફ, મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનને મોટો આંચકો લાગ્યો હતો, જેમાં કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી હતી, શિવસેના (યુબીટી)ને 20 અને શરદ પવારની આગેવાની હેઠળની NCPને માત્ર 10 બેઠકો મળી હતી.