આખરે એ દિવસ આવી પહોંચ્યો કે જુના દર ની રૂ.1000 અને રૂ.500 ની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ છે. 500 અને 1000ની જૂની નોટ આજે સાંજ સુધી જ બેંકમાં જમા કરાવી શકાશે. ત્યાર બાદ 31 માર્ચ સુધી માત્ર રિઝર્વ બેંકના કાઉન્ટર પર જ શરતોની સાથે નોટ જમા કરાવી શકાશે,પીએમ મોદીએ નોટબંધીની મુશ્કેલીને દૂર કરવા માટે આજ સુધીનો સમય માગ્યો હતો. બેકં અને એટીએમની લાઈનમાં ઘટાડો જરૂર આવ્યો છે પરંતુ રોકડનો પ્રોબ્લેમ હજુ યથાવત જ છે. બેંક અને એટીએમમમાંથી ઉપાડની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નોટબંધીને લઈને નવો આદેશ એ લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે જેઓ દેશમાં હોવા છતાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા નથી કરાવી શક્યા. રિઝર્વ બેંક તરફથી 1 જાન્યુઆરી બાદ કોણ પૈસા જમા કરાવી શકે છે તે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.જે વ્યક્તિ 9 નવેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી દેશની બહાર ગયા હોય, તેઓ રિઝર્વ બેંકમાં પૈસા જમા કરાવી શકે છે. તે માટેના જરૂરી પૂરાવાઓ રિઝર્વ બેંકને આપવા પડશે.
આ નિયમ લાગુ કરવાનુ કારણ જૂની નોટનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરવાનો છે. કારણ કે હજુ કેટલીક જગ્યાઓ પર મજૂરી ચુકવવા માટે તેમજ કાળાનાણાંને સફેદ કરવા માટે જૂની નોટનો ઉપયોગ થઈ રહ્યો છે.
31 ડિસેંબર બાદ નક્કી કરેલી મર્યાદા કરતા વધારે નોટ મળી આવશે તો દસ હજાર રૂપિયાનો દંડ અથવા જમા કરવામાં આવેલી પાંચ ગણી નોટ બંનેમાંથી જે વધારે હશે તે મુજબ દંડ ની રકમ નક્કી થશે.
આમ આજના દિવસે બેંકો માં ભીડ જોવા મળી શકે છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.