Pahalgam Terror Attack પહેલગામ આતંકી હુમલો: ઓવૈસીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, શાંતિની ભાષા પણ ઉચ્ચારી
Pahalgam Terror Attack જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં દુઃખ અને રોષ જગાવ્યો છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાને પગલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કેન્દ્ર સરકારને પાકિસ્તાનને પડકાર આપવાની અને શહીદ થયેલા લોકોને યોગ્ય માન આપવાની અપીલ કરી છે.
મોતીહારી (બિહાર) માં યોજાયેલી જાહેર સભા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે પહેલગામના હુમલામાં મોતને ભેટેલા તમામ 26 લોકોને ‘શહીદ’નો દરજ્જો આપવામાં આવે.” તેમણે આગળ ઉમેર્યું કે, “આ ઘટના માત્ર આતંકી હુમલો નથી, પરંતુ આપણા રાષ્ટ્રની સંપ્રભુતા પર આક્રમણ છે. પાકિસ્તાન જેવા નિષ્ફળ રાષ્ટ્રને ભારતે સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે આવી ધટનાઓ ફરી ન સહન કરી શકાય.”
આ નિવેદનમાં ખાસ વાત એ રહી કે ઓવૈસીએ માત્ર પગલાં લેવા અંગે નથી કહ્યું, પણ શાંતિ અને સંવાદના પક્ષમાં પણ અવાજ ઉઠાવ્યો. તેમણે લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલના વખાણ કર્યા, જેમણે પતિ ગુમાવ્યા બાદ પણ ધાર્મિક ધ્રુવીકરણ ન ફેલાવવાનો સંદેશ આપ્યો. ઓવૈસીએ કહ્યું, “હિમાંશી નરવાલે જે સંયમ બતાવ્યો અને દેશના હિતમાં શાંતિનો સંદેશ આપ્યો, તે પ્રેરણાદાયક છે. દેશની દીકરીએ સ્પષ્ટ કર્યો છે કે દેશ નફરતથી નહીં, પણ પ્રેમ અને શાંતિથી મજબૂત બને છે.”
ઓવૈસીના આ નિવેદનને ઘણી બાજુથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.