Pahalgam Terror Attack પહેલગામ હુમલા બાદ રશિયાનો ખુલ્લો ટેકો,પુતિનનો પીએમ મોદીને ફોન, જણાવ્યું – દરેક પગલાં માટે તમને સમર્થન
Pahalgam Terror Attack જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને તાકીદનો સમર્થન મળતું જઈ રહ્યું છે. 5 મે, 2025ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને હુમલાની ઉગ્ર નિંદા કરી અને આતંકવાદ સામે ભારતની લડત માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પુતિને ટેલીફોનિક વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે, “આ પ્રકારના કૃત્યો અસહ્ય છે અને આતંકવાદીઓ તેમજ તેમના સહયોગીઓને ન્યાયના કઠગડામાં લાવવો અનિવાર્ય છે.” પુતિને હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકો માટે શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
વિશેષ વાત એ છે કે આ ટેકો પાકિસ્તાન સાથે તણાવ વધતા સંદર્ભમાં ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રશિયા લાંબા સમયથી ભારતનો નિકટનો માળીદાર દેશ રહ્યો છે અને પુતિનનું આવી રીતે ખુલ્લેઆમ સમર્થન આપવું ભારતની જમણી નીતિ અને સુરક્ષા દૃષ્ટિકોણને વૈશ્વિક સ્તરે માન્યતા આપવાનું દર્શાવે છે.
પીએમ મોદીએ પણ આ સંવાદ દરમિયાન પુતિનને વિજય દિવસની 80મી વર્ષગાંઠ માટે શુભેચ્છા આપી અને તેમને વર્ષના અંતમાં ભારતની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું. બંને દેશોએ વિદેશી નીતિ અને રક્ષણ ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો.
આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે પણ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી હતી અને સંયમ રાખવા અંગે પણ સૂચન આપ્યું હતું.
સાથે જ, હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધબારણે બેઠક બોલાવવામાં આવી છે, જ્યાં પાકિસ્તાને આ મુદ્દા પર વિશેષ ચર્ચા માટે દબાણ વધાર્યું છે. ભારતે પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે – જેમાં સિંધુ જળ સંધિનું સ્થગન, વિઝા નીતિમાં બદલાવ અને રાજદ્વારી સંબંધોની સમીક્ષા મુખ્ય છે.