Operation Sindoor: શમા મોહમ્મદનું સેનાને સમર્થન, પાકિસ્તાનને ચેતવણી
Operation Sindoor ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાની પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી વચ્ચે, કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે સેનાના નિર્ણયોને સંપૂર્ણ સમર્થન આપતાં કહ્યું કે “અમે દેશની સુરક્ષા માટે સેના અને સરકાર સાથે ઊભા છીએ.” તેમણે જણાવ્યું કે જે પણ પગલાં ભારતની સુરક્ષાને મજબૂત બનાવે છે, તે દરેક નિર્ણયનું અમે સમર્થન કરીએ છીએ.
શમા મોહમ્મદે કહ્યું કે “સેના મોરચા પર છે, દેશના યોદ્ધાઓ આપણા માટે લડી રહ્યાં છે અને આતંકવાદીઓને આશ્રય આપનારા પાકિસ્તાન સામે દેશને સુરક્ષિત રાખી રહ્યાં છે. આવા સમયે તમામ રાજકીય પક્ષો અને નાગરિકોએ એકતાથી સેના સાથે ઊભા રહેવું જોઈએ.”
કોંગ્રેસે પણ એક મજબૂત સંદેશ આપતાં X (હવે ટ્વિટર) પર કહ્યું કે “ભારતીય સેના પાકિસ્તાનની નાપાક ષડયંત્રોને નિષ્ફળ બનાવી રહી છે.આશ્રય આપનારા પાકિસ્તાનને હવે દરેક હરકત માટે જવાબદેહ થવું પડશે. ભારતે પહેલાં પણ તેની સેના દ્વારા પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધો હતો. હવે ફરી એક વખત આતંકના મંડાણને કરારો જવાબ આપવાનો સમય આવી ગયો છે.”
#WATCH | Delhi | On 'Jai Hind Yatra' in all Pradesh Congress Committee (PCC) units today, Congress leader Shama Mohamed says, "We are standing with the army. We are with the country and supporting whatever the government and the army decide. We are showing our support for the… pic.twitter.com/t83hjLe2PG
— ANI (@ANI) May 9, 2025
શમા મોહમ્મદ પછાત સમયમાં તેમના વિવાદાસ્પદ નિવેદનોથી પણ ચર્ચામાં રહ્યા છે. તેમણે અગાઉ દાવો કર્યો હતો કે “ગણિત ઇસ્લામ દ્વારા દુનિયામાં આવ્યું,” જેને લઈને રાજકીય ચર્ચા ઉઠી હતી અને ભાજપે આ નિવેદન પર ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. ઉપરાંત, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે કરેલી ટિપ્પણી પણ વિવાદાસ્પદ સાબિત થઈ હતી, જ્યાં તેમણે તેમને “જાડા” કહીને વજન ઘટાડવાની સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર વધતી ટીકાઓ બાદ તેમને પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી.
ત્યાં સુધી, ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં શમા મોહમ્મદનો તાજો નિવેદન એ સૂચવે છે કે દેશના હિત માટે બધા નેતાઓએ એકસાથે ઊભા રહેવાની જરૂર છે અને આતંકવાદ સામે ભારત એકમત છે.