ખર્ચ ઘટાડવા માટે સરકારી બેંકોએ છેલ્લા એક વર્ષમાં 5500 એટીએમ અને 600 બેંક શાખાઓ બંધ કરી દીધી છે. ખબરો અનુસાર દેશનાં 10 બેંકએ જે એટીએમ અને બેંક શાખાઓને બંધ કરી દીધા છે તેમા મોટો ભોગ શહેરી વિસ્તારનો છે.
કેમ બંધ કરી દીધા ATM અને બેંક
સરકારી બેંકોનું કહેવું છે કે, શહેરી ગ્રાહર ઇન્ટરનેટ બેંકિગનો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં કરી રહ્યા છે. માટે બ્રાન્ચ અને ATM જેવા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગાવવા અને તેની સાચવણી કરવા પર વધારે ખર્ચ કરવાની જરૂરીયાત નથી. સાથે જ સરકારી બેંક બેલેંસ શીટ ખર્ચ ઘટાડવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. જોકે, આ સરાકરી બેંકોએ ગ્રામીણ ક્ષેત્રમાં એટીએમ અને બેંક શાખાઓમાં કોઇ ઘટાડો કર્યો નથી. જાણકારી અનુસાર જૂન 2018થી જૂન 2019 વચ્ચે આ એટીએમ અને બેંક શાખાઓનું શટર પાડી દેવામાં આવ્યું છે.
SBIએ 678 એટીએમ પર તાળું માર્યુ
ખબરો અનુસાર દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ 420 બેંક શાખા અને 768 એટીએમ બંધ કરી દીધા છે. વિજ્યા બેંક અને દેના બેંકનાં વિલય બાદ બેંક ઓફ બડોદાએ કુલ 40 બેંક શાખા અને 274 એટીએણ બંધ કરી દીધા છે. આ સિવાય પંજાબ નેશનલ બેંક (પીએનબી), સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યૂનિયન બેંક, ઇલાહાબાદ બેંક સામેલ છે.