ધ્વનિ પ્રદૂષણને લઈને ઈલાહાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. ડીજે વગાડવા પર હાઈકોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. આદેશનું ઉલ્લંધન કરનારને 5 વર્ષની જેલ અને એક લાખ રૂપિયાની સજા લગાવવામાં આવી શકે છે. જો ડીજે વગાડવાની ફરીયાદ મળે તો તે વિસ્તારના પીઆઈના ઈન્ચાર્જની જવાબદારી રહેશે.
આ આદેશ ન્યાયમૂર્તિ પીકેએસ બધેલ અને ન્યાયમૂર્તિ પંકજ ભાટિયાની ખંડપીઠે સંભળાવતા કહ્યું કે બાળકો,વૃદ્ધો અને હોસ્પિટલનમાં ભર્તી થયેલા દર્દીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોર્ટે કહ્યું કે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાયદાનું ઉલ્લંધન નાગરિકોના મૂળ અધિકારોનું પણ ઉલ્લંઘન છે. કોર્ટે દરેક ડીએમને ટીમ બનાવી ધ્વનિ પ્રદૂષણની તપાસ કરવા અને દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે.
કોર્ટે કહ્યું કે તમામ ધાર્મિક તહેવારો પહેલાં ડીએમ અને એસએસપીને મળીને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. આ ઉલ્લંઘન કરનારાઓને 5 વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ગુના માટેની એફઆઈઆર અવાજ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ હેઠળ નોંધાવી જોઇએ.
અરજદારે કહ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે હાશીમપુર રોડ પર એલસીડી લગાવ્યાં છે જે સવારના 4 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી રણકતું રહે છે. મારી માતા 85 વર્ષની છે. નજીકમાં ઘણી હોસ્પિટલો છે. અવાજને કારણે લોકોને અને દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. અધિકારીઓ અવાજ પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ ગયા છે. અરજીમાં ધ્વનિ પ્રદૂષણ કાયદાનું કડક પાલન કરવાની માંગ કરવામાં આવી છે.