વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે આપેલા ભાષણમાં દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક જ વખત વપરાશમાં લઈ શકાય તે. પરંતુ નિષ્ણાતોના મત પ્રમાણે સબમરીનથી માંડી હવાઈ જહાજની બનાવટમાં પણ પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકની પરિભાષા નક્કી કરવી અને તેની પર પ્રતિબંધ લગાડવો અશક્ય લાગે છે. સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ, જેથી કોલસાનું વૈકલ્પિક ઈંધણ બનાવી શકાય. આ અંગે ભાસ્કરે ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોશિએશનના પૂર્વ ચેરમેન હિતેન ભેડા, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના ડેપ્યુટી પ્રોગ્રામ મેનેજર દિનેશ રાજ બંદેલા અને કે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા પર્યાવરણ નિષ્ણાત એનપી શુક્લા સાથે ખાસ ચર્ચા કરી.
સિંગ યુઝ પ્લાસ્ટિક એટલે શું?
પર્યાવરણ સમિતિના સભ્યોના જણાવ્યા પ્રમાણે, ભારતમાં સિંગ યુઝ પ્લાસ્ટિકની કોઈ ઓફિશીયલ લેન્ગવેજ નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ કઈ વસ્તુઓ આવશે તે પણ હજુ નક્કી નથી. યુરોપમાં આપવામાં આવેલી વ્યાખ્યા પ્રમાણે, પ્લાસ્ટિકમાંથી બનાવાયેલી એવી વસ્તુઓ કે જેનો એક વખત ઉપયોગ કરીને આપણે ફેંકી દઈએ છીએ, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે તેને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે.
પ્લાસ્ટિકને પેટ્રો કેમિકલ્સથી તૈયાર કરવામાં આવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક કોઈ પણ પોલીમર (એચડીપીઈ, પીપી, પીએસ, પીઈટી)થી બની શકે છે. જેનો ઉપયોગ ફાસ્ટ ફુડ પેકિંગમાં, બોટલ સ્ટ્રો, થર્મોકોલ પ્લેટ અને ગ્લાસ બનાવવામાં કરવામાં આવે છે.
દેશમાં દરરોજ અંદાજે 26 હજાર ટન પ્લાસ્ટિક કચરો નીકળી રહ્યો છે, 60% જ રિસાયકલ થઈ શકે છેઃ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ(CPCB)ના દેશના 60 મોટા શહેરોમાં કરાયેલા સર્વેમાં સામે આવ્યું હતું કે શહેરોમાંથી દરરોજ 4,059 ટન પ્લાસ્ટિક કચરો નીકળે છે. જેથી અનુમાન લગાવી શકાય છે કે દેશભરમાં દરરોજ 25,940 ટન પ્લાસ્ટિકનો કચરો નીકળે છે. જેમાંથી ફક્ત 60% એટલે કે 15,384 ટન પ્લાસ્ટિક કચરો જ ભેગો કરી અથવા રિસાઈકલ કરી શકાય છે. બાકીનો નદી-નાળા દ્વારા સમુદ્રમાં જાય છે અથવા તો પ્રાણીઓનો ખોરાક બની જાય છે.